પૂ.પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતિ મહોત્સવની તૈયારીમાં મુસ્લિમ યુવાનની અનેરી સેવા

- text


રાજકોટ અને બહારગામથી આવેલ ૩૦૦૦થી અધિક સ્વયંસેવકો સવારે ૮ થી રાત્રે ૮ સુધી આપે છે સેવા

મોરબી : વિશ્વ વંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૮માં પ્રતિષ્ઠિત કરેલ ભવ્ય મંદિર શિક્ષણ, સંસ્કાર, સેવા અને સત્સંગની ધર્મ ધજા ફરકાવીને રાજકોટના નજરાણા સમાન બની રહ્યું છે. ઉન્નત મૂલ્યોના પ્રસારણ દ્વારા જનજીવનને ધબકતું રાખનાર આ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ અને તેના નિર્માતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓનો ૯૮મો જન્મ જયંતી મહોત્સવ તારીખ ૫ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ઉત્તરાધિકારી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવાશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજનથી લઈ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો સંતો ભક્તોના સેવા અને સમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત ૫૦ જેટલા વિવિધ વિભાગોમાં ઉચ્ચ અભ્યાસ કરેલા સંતો કઠિન પુરુષાર્થ અને આયોજનથી મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓક્સફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત ૫૧ જેટલા સંતો દરરોજ ૧૨-૧૨ કલાકો સુધી સેવાઓ કરી રહ્યા છે. જેમાં એક મુસ્લિમ ભાવિક પણ ટ્રેકટર ચલાવવાની સેવા આપી રહ્યા છે.

- text

વિરાટ સ્વામિનારાયણ નગરમાં લેન્ડ સ્કેપિંગ માટે છેલ્લા ૬ મહિનાથી તૈયારીઓ શરુ થઇ છે. સમગ્ર મહોત્સવ સ્થળને ૭૦૦૦ સ્ક્વેર ફૂટ કાર્પેટ લોનથી ડેકોરેશન કરવામાં આવશે. ૪૨થી વધુ બગીચાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે જેમાં ૪૦થી વધુ વિવિધતા ધરાવતા ફૂલ છોડથી સમગ્ર સ્વામિનારાયણ નગરને સુશોભિત કરવામાં આવશે.

સ્વામિનારાયણ નગરમાં સેવાયજ્ઞ દરમ્યાન પ્રેરણાદાયી પ્રસંગો પણ બની રહ્યા છે જેમાં બહારથી જોડાનાર કારીગરો અને મજુરો સંતોના સંપર્કથી વ્યસન મૂકી સદાચારી જીવન જીવવાના સંકલ્પ ગ્રહણ કરી સેવામાં જોડાઈ રહ્યા છે. આર.એમ.સી.ના ડમ્પર ચાલક ડ્રાઈવરને ગુટકાનું વ્યસન હતું, પરંતુ સંતોના સંપર્કમાં આવતા વર્ષો જૂના વ્યસનનો ત્યાગ કર્યો એ ઉપરાંત એમના સાળાને દારૂનું વ્યસન હતું એ પણ છોડાવ્યું. એક મુસ્લિમ ભાવિક સમગ્ર દિવસ દરમ્યાન ટ્રેક્ટર ચલાવવાની સેવામાં જોડાયા છે. શહેરના કેટલાય ભાવિક ભક્તો તેઓના વાહનો, ટ્રેક્ટર, ડમ્પર અને મોંઘી મશીનરીઓ સેવામાં આપી સેવા-સમર્પણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ નગરમાં મહોત્સવ સ્થળે હાલ રાજકોટ અને બહારગામથી આવેલ ૩૦૦૦થી અધિક સ્વયંસેવકો સવારે ૮ થી રાત્રે ૮ સુધી વિવિધ સેવાઓમાં જોડાઈ સેવા અને સમર્પણની અનોખી છાપ છોડી રહ્યા છે.

- text