મોરબીના નાની વાવડીમાં 10મીએ ગોપી ગાયના મોક્ષાર્થે ભાગવત કથા

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે તા.10 ડિસેમ્બર થી તા. 16 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 8-30 થી 11-30 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન સમસ્ત ગામ તથા માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા ગોપી ગાયના મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દિવ્યપ્રકાશદાસજી સ્વામી તથા જગતપ્રકાશદાસજી સ્વામી ભાગવત કથાનું રસપાન કરાવશે આ ભાગવત કથા દરમિયાન તા. 13ના રોજ રાત્રીના સમયે સંતવાણી તેમજ તા 15ના રોજ પણ રાત્રી દરમિયાન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે આ ધાર્મિક કાર્યક્રમોનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text