મોરબીમાં ઇદે મિલાદની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી: મોરબીમાં નુરાની કમિટી સુન્ની એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મદ્રેશા દ્વારા ઇદે મિલાદની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ સંસ્થાએ ઇદની ઉજવણીના ભાગરૂપે અનાથ આશ્રમના150 બાળકોને મનભાવતા ભોજન કરાવીને પર્વમાં બીજાનું ભલું કરવું એ જ ઉજવણીના સાચા ધ્યેયને ચરિતાર્થ કર્યો હતો.આ તકે નુરાની કમિટીના પ્રમુખ હનીફભાઈ અજમેરી, નઝીરખાન પઠાણ, સલીમભાઈ અજમેરી, યુશુફભાઈ શેખ, મુસભાઈ, મોરબી મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી રફીકભાઈ લોખંડવાળા હાજર રહ્યા હતા.

- text