મોરબીના શનાળા ગામની સીમમાં ઢોર ચરાવવા મામલે બે ભાઈઓને લાકડીવાળી

- text


મોરબી : મોરબીના શનાળા ગામે સીમમાં ઢોર ચરાવવા મામલે બે ભાઈઓને લાકડી ફટકારીને માર મર્યાની બે શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના શકત શનાળા ગમે રહેતા રામજીભાઈ ઉર્ફે મુન્નાભાઈ વશરામભાઈ ખાભલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે રાજુ જીવણ ગમારા અને મેરુ દેવા ગમારા સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના શનાળા ગામની સીમમાં ગણેશભાઈ સતવારાની ઢાળીયાના માર્ગ તરીકે ઓળખાતી વાડીને માલઢોર ચરાવવા માટે રાખી હતી. ત્યાં આરોપીઓ પોતાના ઢોર ચરાવવા આવતા ફરિયાદીએ તેમને ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી તથા તેના ભાઈને લાકડી વડે માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text