ટંકારામાં ખૂની હુમલો કરવાના કેસમાં જામીન ઉપર છુટકારો

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ખૂની હુમલા કેસમાં મદનભાઈ અનસિંગભાઈ અને નરવતભાઈ ભુરજીભાઈ ભુરિયાએ અગાઉના મનદુઃખનો ખાર રાખી ફરિયાદીને માવો ખાવાના બહાને બોલાવી તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી જે અન્વયે બન્ને આરોપીઓએ જામીન મુક્ત થવા મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં અરજી કરતા બચાવપક્ષે એડવોકેટ એચ.એચ.જાડેજાએ ધારદાર દલીલો કરતા નામદાર અદાલતે બન્ને આરોપીઓને જામીનમુક્ત કરવા આદેશ આપ્યો હતો.

 

- text