- text
મોરબી : મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં ફૂંકાયેલ પરિવર્તનના વાવાઝોડામાં આજે વધુ એક વર-કન્યાના ઘડિયાલગ્ન યોજાયા હતા.
ઉમિયા સમૂહ લગ્ન સમિતિના વડીલો દ્વારા મોરબી જિલ્લાના પાટીદાર સમાજને લગ્નપ્રસંગે ખોટા ભભકા બંધ કરી ખર્ચ બચાવવા સલાહ આપતા છેલ્લા એક મહિનામાં ૨૦થી વધુ ઘડિયાલગ્ન લેવાયા છે જેમાં આજે વધુ બે પરિવારોએ સાદાઈપૂર્વક ઘડિયાલગ્ન સમારોહ યોજ્યો હતો.
- text
આજે મોરબીના હળવદ તાલુકાના વાંકીયા (સમલી) ગામના રમેશભાઈ રાઘવજીભાઈ એરણીયાની સુપુત્રી ચિ.અંજનાના શુભલગ્ન મોરબીના નીચીમાંડલ ગામે રહેતા રમેશભાઈ ભાણજીભાઇ કુંડારીયાના સુપુત્ર ચિ.અરવિંદ સાથે યોજવામાં આવ્યા હતા જેમાં ઉમિયા સમૂહલગ્ન સમિતિના હોદ્દેદાર વડીલો અને આગેવાનોએ પ્રેરક ઉપસ્થિતિ આપી નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા.
- text