મોરબીમાં કાલે તુલસી વિવાહ નિમિતે તુલસીના રોપાનું વિતરણ

- text


 વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાશે

મોરબી : આવતીકાલે તુલસી વિવાહ નિમીતે તુલસીના રોપનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે, આયુર્વેદિક અોસદ્ધી તુલસીમાં ભલભલા અસાધ્ય રોગોને મટાડી શકવાની ક્ષમતા રહેલી છે અને આ તુલસીનું અનાદી કાળથી દરેક ઘરમાં પૂજન થાય છે. ત્યારે મોરબીમાં તુલસીના રોપા ઘરે ઘરે વાવવા માટેના અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસી ના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

- text

મોરબી અપડેટ, મયુર નેચર કલબ,ઇન્ડિયન લાયન્સ કલબ,પ્રેસ ફેન્ડ્સ કલબ તથા મોરબી ટંકારા વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી તુલસી નું ઘરે ઘરે સ્થાપન થાય તેમજ તુલસી ના રોપા થકી લોકોનું આરોગ્ય નીરોગી રહે તે માટે તુલસી ના રોપાનું વિતરણ કરવામાં આવે છે તે રીતે આ વખતે તુલસી વિવાહ નિમિતે તા.૧૮ને રવિવારે સવારે ૯ વાગ્યે સંદેશ બ્યુરો ઓફિસ નીચે કે.કે.સ્ટીલ સામે શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્ય તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તુલસી ના રોપા ના વિતરણ નો લોકોને વહેલી તકે લાભ લેવાનો અનુરોધ કરાયો છે.

- text