અંતે મોરબી અને ટંકારા દુષ્કાળગ્રસ્ત જાહેર

- text


સાંસદ મોહનભાઇ કુંડારીયાની મહેનત લેખે લાગી : અરવિંદ વાસદડીયા

મોરબી : અંતે રાજ્ય સરકાર દ્વારા આજે વધુ ૪૫ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાંસદ મોહનભાઇ કુંડરિયાની સતત રજૂઆતને પગલે મોરબી જિલ્લામાં બાકી રહેતા મોરબી અને ટંકારાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને વિશેષ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્ધારા ૨૫૦થી ૪૦૦ મિલી જેટલો ઓછો વરસાદ થયો હોય તેવા ૪૫ તાલુકાઓને રાજય સરકારે અછતગ્રસ્ત જાહેર કરી વાવેતર-બિયારણ વગેરેના નુકશાનમાં ખેડૂતોને વળતર-સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ જણાવ્યું હતું કે અગાઉ રાજયના ૫૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા હતા જેમાં આજના ૪૫ સાથે મળી રાજયના કુલ ૯૬ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયા છે. એટલે કે, રાજયના ૪૪ ટકા  તાલુકાઓ અછતગ્રસ્તની યાદીમાં આવી ગયા છે.

- text

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા સાંસદ મોહનભાઇ કુંડરિયાની રજુઆત ફળી હોવાનું ઉમેરતા તેમને કહ્યું કે રાજ્ય સરકાર ધ્વારા અગાઉ ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે. આ તાલુકાઓમાં ૧ ડિસેમ્બરથી અછતની કામગીરી શરૂ કરી ઘાસચારો, પાણી, મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવશે. ૨૫૦ મિલીથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા આ તાલુકાઓમાં ભારત સરકારના ધારાધોરણ પ્રમાણે કુલ રૂ.૫૦૬૧ કરોડ જેટલો ખર્ચ થશે. જયારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી અછત સમિતિની બેઠકમાં વિવિધ રજુઆતો અંગે ચર્ચા કરી અન્ય તાલુકાઓને પણ અછત જેવી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ૨૫૦થી ૪૦૦ મિલી જેટલો વરસાદ  પડ્યો હોય તેવા ૪૫ તાલુકાઓમાં બિયારણ-વાવેતર સુકાઈ ગયું હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકારના બજેટમાંથી સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ ત્રણ ભાગ પાડી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ૨૫૦થી ૩૦૦ મિલી વરસાદ પડ્યો હોય તેવા ૧૪ તાલુકાઓમાં એક હેકટર દીઠ રૂપિયા ૬૩૦૦ આપવામાં આવશે. જયારે ૩૦૦થી ૩૫૦ મિલી વરસાદ પડ્યો હોય તેવા ૧૨ તાલુકાઓમાં હેક્ટર દીઠ રૂપિયા ૫૮૦૦ તેમજ ૩૫૦થી ૪૦૦ મિલી વરસાદવાળા ૧૯ તાલુકામાં રૂપિયા ૫૩૦૦ આપવામાં આવશે. સરકાર દ્ધારા અગાઉ ૫૧ અછતગ્રસ્ત તાલુકાઓ માટે રૂપિયા ૫૦૬૧ કારોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

જયારે આ ૪૫ તાલુકાઓ માટે રૂપિયા ૧૩૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. આ ઉપરાંત ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવા ઉપરાંત ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું સરકારે જાહેર કર્યું છે.

આમ, મોરબી જિલ્લામાં સાંસદ મોહનભાઇ કુંડરિયાની રજૂઆતને પગલે ટંકારા અને મોરબી તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર થતા સામાન્ય નાગરિકથી લઈ ખેડૂતોને રાહત મળનાર હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text