મોરબીના મકનસર સ્વામિનારાયણ મંદિર ધાર્મિક મહોત્સવ

- text


મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા.9 થી તા.13 ડિસેમ્બરને ગુરુવાર સુધી નૂતન મંદિર ઉદ્દઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજશે તેમજ હનુમાન ચાલીસા કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમપ્રકાશદાસજી કથાનું રસપાન કરાવશે ઉપરાંત મહાવિષ્ણુયાગ, મંગલમૂર્તિ પ્રતિષ્ઠા દર્શન, સમૂહ મહાપૂજન, પ્રદર્શન ગ્રંથ વિમોયન, શ્રી મહારુદ્ર વેદ પારાયણ સહીત, શોભાયાત્રા, સંતો મહંતોના દર્શન, મેડિકલ ચેકઅપકેમ્પ, પ્રાર્થના મંદિરની અનાવરણ વિધિ, અભિષેક, અન્નકોટ દર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમો નો લોકો ને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text