મોરબીના નાનીવાવડી ગામે સગાઈ પ્રસંગે લગ્નવિધિ

- text


પાટીદાર પરિવાર સામાજિક પરિવર્તનનના પ્રવાહમાં જોડાયો

મોરબી : મોરબીના નાનીવાવડી ગામે રહેતા રમેશભાઇ પડસુંબિયાના સુપુત્ર ચિ ધવલની સગાઈ તા ૧૪ /૧૧ /૨૦૧૮ના રોજ યોજાઈ હતી. આ પ્રસંગે ઉમીયા સમિતિના કાર્યકરો શિવલાલભાઇ ઓગણજા, પ્રમુખ, ઉમીયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ, ડૉ. મનુભાઇ કૈલા, ઉપ પ્રમુખ, જયંતિભાઈ કૈલા સહમંત્રી, નંદલાલભાઇ વિડજા, પૂર્વ પ્રમુખ, વલમજીભાઇ અમૃતિયા પ્રમુખ, પટેલ કન્યા છાત્રાલય વગેરે ઉપસ્થિત રહી બંન્ને પક્ષને સગાઇ પ્રસંગે જ લગ્ન સંપન્ન કરી સમાજના પરિવર્તનના પ્રવાહમા જોડાવવાનો પ્રસ્તાવ મુક્યો. બંને પક્ષોને લગ્ન પ્રસંગના વધુ પડતા ખર્ચે, સમય અને શક્તિનો બગાડથી બચવા સમજાવ્યા. બંન્ને પક્ષે સંમતિ થતા લક્ષ્મીવાસના સ્વ. પ્રાણજીવનભાઇ ઠોરીયાની સુપુત્રી ચિ. સ્વાતિ અને ચિ. ધવલના સર્વે સગા સંબંધીએ પૂર્ણ સમય હાજરી આપી ઉત્સાહ ભેર અને આનંદ પૂર્વક લગ્નવિધિ સંપન્ન કરી હતી.

- text

- text