જામનગર લોકસભા બેઠક માટે મોરબીના વિજયશ્રીની વિસ્તારક તરીકે નિમણુંક

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં વિસ્તારક તરીકેની નિમણુંક આપવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી અને મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલ ( વિજયશ્રી )ની જામનગર લોકસભા બેઠકના વિસ્તારક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્ણકાલીન વિસ્તારક તરીકે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પૂર્ણકાલિન વિસ્તારક તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. આ વિસ્તાર યોજના 2019 અન્વયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે બેઠેલ મળેલ હતી. જેમા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી કે સી પટેલ પણ ઉપસ્થિત રહેલ તે ઉપરાંત તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને વિસ્તાર યોજના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ. તદુપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરતભાઇ પંડયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્ણકાલિન વિસ્તારક તરીકે નિમણૂક કરવાની હતી. જેમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ લોખીલ કે જેવો પ્રભારી જિલ્લા કાર્યાલય તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, તેમજ ઉપપ્રમુખ તરીકે જીલ્લા બક્ષીપંચ મોરચામાં પણ જવાબદારી સંભાળી રહ્યા છે. અને મીડિયા સેલના જિલ્લાના ઇન્ચાર્જ તરીકે પણ કાર્યરત છે. તેઓની જામનગર લોકસભા છે આગામી ચૂંટણીઓ અનુસંધાને લોકસભાના પૂર્ણકાલીન વિસ્તાર તરીકે કરવામાં આવેલ હતી.

- text

વિજયશ્રીની નિમણૂકને સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ, મિત્રો, ઉદ્યોગપતિઓ તેમજ પાર્ટીના સમર્થકો દ્વારા આવકારવામાં આવી રહી છે. જામનગર લોકસભા ક્ષેત્રમાં આગામી 2019 ની ચૂંટણી સુધી સતત પૂર્ણકાલીન વિસ્તારક તરીકે તેઓ જવાબદારી સંભાળશે.

- text