બગથળા ગામે સગાઈ સાથે જ લગ્ન !!

- text


મોરબી : મોરબી ઉમિયા સમૂહ લગ્ન સેવા સમિતિની હાકલને પગલે ગામે – ગામ સગાઇ સાથે જ ઘડિયા લગ્નના વાયરા વચ્ચે ગઈકાલે ધનતેરસના શુભ મુહૂર્તે બગથળા ગામે સગાઈના પ્રસંગમાં જ ઘડિયા લગ્ન લેવાયા હતા.

મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચ બંધ કરવાની ઉમદા ભાવના સાથે સગાઇ સાથે જ લગ્નની પ્રથા શરૂ કરવામાં આવી છે જેમાં ગઈકાલે ધનતેરસના શુભ અવસરે બગથળા ગામના પ્રાણજીવનભાઈ છગનભાઇ કોરડિયાના સુપુત્ર ચિ. મિરવની સગાઈ જુના ઘાટીલા ગામના પ્રવીણભાઈ મનજીભાઇ વિડજાની સુપુત્રી ચી.પૂજા સાથે નિર્ધારવામાં આવી હતી જેમાં ઉમિયા સમુહલગ્ન સેવા સમિતિના અનુરોધ મુજબ ગઈકાલે બગથળાના નકલંક મંદિર ખાતે સગાઈવિધિમાં જ લગ્ન યોજવા નક્કી કરી સગાસ્નેહીજનોની ઉપસ્થિતિમાં સાદાઈ પૂર્વક ઘડિયા લગ્ન કરાયા હતા.

- text

- text