વાંકાનેર ખાતે સોમવારે સૂફી સંતોનો ઉર્ષ મુબારક

- text


વાંકાનેર : વાંકાનેર, ટંકારા, ઘોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાત ભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હીદાયત આપનાર હ.પીર હસન ક્બીરૂદીન ક્રુફ શીક્ન (રહે) (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન સમાજની મોટી ગાદીના ગાદી નશીન હ.પી૨ સૈયદ અબ્દુલમુત્ત્તલીબ કાસીમઅલી (રહે.) (વાંકાનેર-સૌરાષ્ટ્ર) નો ચાંદ-ર૭ સફર તા.૦૫/૧૧/૨૦૧૮, સોમવાર ના રોજ ઈશાની નમાઝ બાદ વાંકાનેર ખાતે સૂફી પરંપરા પ્રમાણે શંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવશે.

ત્યાર બાદ સુંફી પરંપરા પ્રમાણે મહેફીલે શમા (ક્વ્વાલી) રાખેલ છે જેમા યુપીના મશહૂર કવ્વાલ સરફરાજ-રાજા એન્ડ પાર્ટી સુફી કલામ પેશ કરશે.

- text

આ પ્રસંગે દરગાહ શરીફ ના સજજાદા નશીન તેમજ સમગ્ર યોમીન સમાજની મોટી ગાદીના ધર્મગુરૂ સૂફી સંત અલ્હાઝ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા (ઉર્ફે,મીરસાહેબ), ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા (પૂર્વ પ્રમુખ યાર્ડ) અને સૈયદ મોઈન એહમદ મંજુરહુશેન પીરઝાદા સહીત સમગ્ર પીરઝાદા પરીવાર અને ગુજરાતભરમાંથી અકીદતમંદો હાજર રહેશે. તો ઉર્ષ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને હાજર રહેવા અલ્હાજ સૈયદ શાઈરએહમદ ખુરશીદહૈદર પીરઝાદાએ યાદીમાં જણાવેલ છે. વધુ વિગતો માટે ૯૮૯૮૪૨૭૪૮૬, ૯૭૯૨૮૬૭૮૬ અથવા (૦૨૮૨૮) ૨૨૦૧૨૧ સંપર્ક સાધવો.

- text