વાંકાનેર : સિરામિક ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુવા ખાતે આવેલ જેટ ગ્રેનાઈટો સીરામીક કારખાને મજૂરી કામ કરતાં ગોવિંદભાઈ નાથાભાઈ કુંવાર રહે. ઢસા તા. ગઢડા જી. બોટાદ વાળાનું સિરામિક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરતા આ મામલે ગુન્હો નોંધી જમાદાર સુરેશભાઈ ચાવડાએ વધુ તપાસ શરૂ કરી છે.

- text

- text