વાંકાનેરના જડેશ્વર નજીક ઓટો રીક્ષા પલટી : ત્રણને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર નજીક ઓટોરિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વડસર તળાવ પાસે ઓટો રીક્ષા નં- જી.જે.૩૬.યુ. ૩૬૩૧ ના ચાલકે રીક્ષા પુરઝડ્પે અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષા પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતા એક્સીડન્ટ થતા રીક્ષામા બેસેલ ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

- text

ઘટના અંગે કરણભાઈ અમરશીભાઈ પરબતાણી ઉવ-૨૦ રહે,વેલનાથપરા વાંકાનેરવાળાએ ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text