ટંકારાના લખધીરગઢમાં ૯૦ વર્ષથી પૂજાય છે પૂ.બાપુ અને સરદાર પટેલ

- text


ખુરશી ટકાવવા નેતાઓને વર્ષો પછી સરદાર યાદ આવ્યાના ઘાટ વચ્ચે નાનું એવુ લખધીરગઢ ગામ દેશભક્તિનો સંદેશ આપી રહ્યું છે.

ટંકારા : દેશ આઝાદ થયા બાદ આજે ૭૧ વર્ષ પછી અખંડ ભારતના શિલ્પી સૌને સરદાર યાદ આવ્યાં છે ત્યારે ટંકારાના નાના એવા લખધીરગઢ ગામમાં આજ કાલ નહિ પરંતુ છેલ્લા ૯૦ વર્ષથી ભગવાન રામની સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂજા થઈ રહી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ પૂજનીય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ પૂજાઈ છે આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા રામજી મંદિરની દીવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનો ફોટો છેલ્લા ૯૦ વર્ષથી બનાવવામાં આવ્યો છે અને ભગવાનની સાથોસાથ તેની પણ મંદિરના પુજારી અને ગ્રામજનો દ્વારા પુંજા કરવામાં આવી રહી છે

વર્તમાન સમયમાં દેશની આઝાદી માટે રાત દિવસ જોયા વગર કામ કરી ગયેલા મહાનુભાવોનો માત્રને માત્ર ખુરશી સુધી પહોચવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે અથવા તો નામ લેવામાં આવતું હોય છે તે હક્કિત છે જો કે, ન માત્ર દેશ પરંતુ દુનિયાની સૌથી ઉચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ થયુ ત્યારે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામેને પણ યાદ કરવું પડે તેમ છે કેમ કે, હાલમાં રાજકીય જશ ખાટવા માટે જ દેશમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલનું નામ લેવામાં આવે છે ટેવ સમયે આ લખધીરગઢ ગામમાં છેલ્લા ૯૦ વર્ષથી ભગવાનની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પૂજે છે.

- text

ઉલેખનીય છે કે, આ ગામમાં આવેલા રામજી મંદિરમાં ગામના વડીલો દ્વારા મંદિરમાં ભગવાન રામની સાથોસાથ મહાત્મા ગાંધીજી,સરદાર વલ્લભભાઇ પટેલના દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે અને શિવાજી, મહારાણા પ્રતાપ, જવાહરલાલ નેહરૂ, મોરબીના રાજા લખધીરસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના ફોટો મુકીને તેની પૂજા કરવામાં આવી રહી છે જેના પાછળનું મુખ્ય કારણએ છે કે, આજની નવી પેઢી તેમાંથી પ્રેરણા મેળવે અને તેના જેવું જીવન જીવવા માટેનો સંકલ્પ કરે, રામજી મંદિરમાં સવાર સાંજ ભગવાનની સાથોસાથ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પુજા કરવામાં આવે છે જેથી દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાપુરૂષોને આ ગામની યુવા પેઢી ક્યારેય પણ ભૂલશે નહિ તે નક્કી છે.

આ ગામની બીજી વિશેષતાએ પણ છે કે, સમયની સાથે તાલ મિલાવીને દરેક ઘરમાં ગાડી આવી ગયેલા છે જો કે, આજની તારીખે દરેક ઘરમાં ગાય રાખવામાં આવે છે અને ગામમાં ગમે ત્યારે તમે જશો તો તમને રસ્તે રઝળતી ગાય કયારે પણ જોવા મળશે નહિ.

- text