- text
હળવદના ચુપણી ગામે પરણીતાં આપઘાત પ્રકરણમાં પરિણીતાના પિતાએ ગુન્હો નોંધાવ્યો
હળવદ : હળવદના ચુપણી ગામે બે દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરિણીતાના પિતાએ સનસનીખેજ આરોપ લગાવી પોતાના જમાઈ દ્વારા લગ્નબહારના સંબંધો રાખવામાં આવતા હોવાથી કંટાળી મારી દીકરીએ આપઘાત કર્યાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- text
હળવદના ચુપણી ગામે બે દિવસ પૂર્વે હેતલબેન અનિલભાઈ ઉ.વ ૨૪નામની પરિણીતાએ કેરોસીન છાટી આપઘાત કરી લેતા આ મામલે હેતલબેનના પિતા જીવણભાઇ છગનભાઇ પરમાર, ઉ.વ.૫૫ ધંધો.ખેતી કામ રહે.જેતપરડા તા.વાંકાનેર જી.મોરબી વાળાએ અનીલભાઇ ગોવિંદભાઇ મકવાણા રહે ચુપણી તા.હળવદ વિરુદ્ધ પોતાની દિકરી હેતલબેન ઉ.વ ૨૪ ને તેના પતિ અનીલભાઇ ગોવિંદભાઇ મકવાણાએ લગ્ન બહારના જાતીય સબંધ રાખી મરણજનાર સાથે કોઇ વ્યવ્હારીક સબંધ નહી રાખી નાની નાની બાબતે મેણા ટોણા મારી અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.આ કેસમાં હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text