મોરબીમાં મહિલાની હત્યા કરનાર ત્રણેય આરોપીઓ ૬ દિવસની રિમાન્ડ ઉપર

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે સીરામીક કારખાનામાં રહેતી મહિલાની ત્રણ શખ્સોએ મળીને હત્યા નિપજાવીને તેની લાશ કોથળામાં બાંધીને જોધપર ગામે ફેંકી દીધી હતી. આ કેસના ત્રણેય આરોપીની કોર્ટે ૬ દિવસની પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા દુર્ગાબેનની તેમના જ પતિ ભૂરાભાઈ શંકરભાઈ ડામોરે તેમના બે મિત્રો સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર ઉર્ફે અર્જુન ભભોરે આડા સંબંધની આશંકાએ ઠંડા ક્લેજે હત્યા કરીને લાશને કોથળામાં બાંધીને જોધપર ગામે ફેંકી દીધી હતી.

- text

આ કેસનો ભેદ ઉકેલીને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હતા.

- text