- text
વાંકાનેર : વાંકાનેરની પરિણીતા દ્વારા ચાર સાસરિયા વિરુદ્ધ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે ચારેય સાસરિયા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના મહાવીરનગરમાં રહેતા પૂજાબેન જયદીપભાઈ દવેએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ જયદીપભાઈ મહેન્દ્રભાઈ દવે, સસરા મહેન્દ્રભાઈ મગનભાઈ દવે, સાસુ કીર્તિબેન મહેન્દ્રભાઈ દવે અને રાજેશભાઇ મગનભાઈ દવે અવારનવાર ઝઘડો કરી ગાળો આપીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે.
પરિણીતાની આ ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે ચારેય સાસરિયા સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text