- text
મોરબી : આગામી તા. 21ને રવિવારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એન્જીનીયરીંગ બ્લોક રાખવામાં આવ્યો હોય અનેક ટ્રેનોને અડધો કલાક જેટલી રોકી રાખવવામાં આવશે તો ભાવનગર ઓખા રૂટની ટ્રેનને રદ કરવામાં આવી છે.
આશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 21ના રોજ વાંકાનેર જંકશન ખાતે એન્જીનીયરીંગ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે મેઇન્ટેન્સ ના કારણે ભાવનગર ઓખા રૂટ વચ્ચે દોડાડતી ત્રણ વાંકાનેર નહિ આવે જયારે સૌરાષ્ટ્ર જનતા, કોઈમ્બતૂર એક્સપ્રેસ અને સુરત ઇન્ટરસીટી સહિતની ટ્રેનને અડધો કલાક વાંકાનેર રોકી રાખવામાં આવનાર હોવાથી મુસાફરોએ નોંધ લેવા જણાવાયું છે.
- text
- text