મોરબીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : બુધવારે કોંગ્રેસની મહારેલી

- text


મોરબી : ચાલુ વર્ષે મોરબીમાં સિઝનભરમાં માત્ર સાતેક ઈંચ જેટલો વરસાદ જ વરાસ્યો હોવાથી પીવા અને સિંચાઈના પાણી પ્રશ્ને દેકારો બોલી ગયો છે, છતાં સરકાર દ્વારા મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા આગામી તા. ૧૭ ને બુધવારના રોજ કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી – માળીયા (મિં) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના ખેડૂતો અને માલધારીઓના પાક વીમો, સિંચાઈ, દેવું માફ, ઘાસચારો જેવા પ્રશ્નો બાબતે તેમજ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા આગામી તા.૧૭ને બુધવારે સવારે ૯:૩૦ વાગ્યે નવા બસ સ્ટેશન મોરબી ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

વધુમાં આ રેલીમાં મોરબી શહેર – જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાનાર છે અને જનતાને પણ આ રેલીમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text