મોરબી કોંગ્રેસમાં જુથવાદના રાસડા

- text


17મીએ જિલ્લા પંચાયતના પ્રમુખ સહીત 16 સભ્યોને ગાંધીનગર મુદત હોવા છતાં ખેડૂત રેલીના આયોજનથી ધમાચકડી

મોરબી : મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોના પાકવીમા સહિતના પ્રશ્ને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 17મી મહારેલી યોજવાની જાહેરાત કરતા જ કોંગ્રેસમાં જુથવાદના રાસડા ચાલુ થી ગયા છે.
આજે ધારાસભ્ય બ્રિજેશભાઈ મૅરાજાએ આગામી તા 17ના રોજ મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોના પાકવિમાં પ્રશ્ને રેલી યોજવાની સત્તાવાર જાહેરાત કરતા જ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ ધમાચકડી મચાવી હતી અને ટીટોડો લેવાનું શરૂ કરી 17મીના રેલીના આયોજનનો વિરોધ કરી જણાવ્યું હતું કે પક્ષાંતર ધારા હેઠળ થયેલી ફરિયાદને કારણે 16 સભ્યોને 17ની ગાંધીનગર હાજર રહેવાનું હોવાનું જાણવા છતાં કોંગી આગેવાનો દ્વારા 17મીની જ તારીખ રાખવામાં આવી છે જેથી અમે હાજર રહી ન શકીએ.
આમ એક તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ મોરબી જિલ્લામાં મજબૂત ગણાતી કોંગ્રેસ જુથવાદના દાંડિયારાસ રમવા લગતા કોન્ગ્રેસમાં લાગેલી આગ નિહાળી ભાજપ છાવણી ગેલમાં આવી છે.

- text

- text