માળિયામાં પુત્રને મારનાર શખ્સોને સમજાવા ગયેલા માતાને છરીના ઘા ઝીંકાયા

- text


ત્રણ શખ્સો સામે માળીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

માળીયા : માળીયામાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમા પુત્રને માર મારનાર શખ્સોને સમજાવવા ગયેલી માતાને છરીના ત્રણ ઘા ઝીંકી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી હસીનાબેન અબ્દુલભાઇ મોવરનો પુત્ર વિસ્તારમાં આવેલ રાજાભાઈની દુકાન પાસે બેઠો હતો ત્યારે વલીમામદ કાદર મિયાણા નામનો શખ્શ આવીને ફરિયાદીના પુત્રને કોઈપણ કારણ વગર માર મારવા લાગયો હતો. બાદમાં ફરિયાદીની માતા આરોપીને સમજાવવા જતા અન્ય બે આરોપીઓ ઈરફાન ઓસમાણ અને અજગર હુસેનભાઇએ ફરિયાદીને પકડી રાખી હતી અને આરોપી વલીમામદે મહિલાને છરીના ત્રણ ઘા ઝીંકી દેતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text