- text
માળીયા : માળીયા તાલુકાના ૨૭ ગામના ખેડૂતો પાકવીમાં અને સિંચાઈ પ્રશ્ને લડી લેવાના મૂડમાં છે. ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોજવામાં આવનાર કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડવા એક બેઠક પણ યોજવામાં આવી હતી.
માળીયા પંથકમાં ઓછો વરસાદ થયો હોવા છતાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉપરાંત ખેડૂતોને પાકવીમામાં પણ અન્યાય થયો છે. ત્યારે આ તમામ પ્રશ્ને ૨૭ ગામના ખેડૂતો તેમજ સરપંચોની મોટીબરાર ગામે બેઠક મળી હતી.
- text
બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોજવામાં આવનાર કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરીને રણનીતિ ઘડવામાં આવી હતી.
- text