મોરબી ત્રાજપર ચોકડી નજીક પાણીના ટેન્કર હડફેટ રાહદારીનું મોત

- text


મોરબી : મોરબી ત્રાજપર ચોકડી પુલ પાસે બેફામ દોડતા પાણીના ટેન્કર હડફેટ લેતા રાહદારીનું મોત નિપજતા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ત્રાજપર ચોકડી પુલની નીચે ગઈકાલે ચાલીને જઇ રહેલા દીનેશભાઇ નરશીભાઇ વરાણીયા ઉ. ૫૨ વાળાને અજાણ્યા પાણીના ટેન્કર ચાલકે ગફલતભરી રીતે ચલાવી હડફેટે લઇ પછાડી દઇ ગંભીર ઇજા કરી મોત નીપજાવ્યુ હતું.

- text

આ ઘટના અંગે મૃતકના ભત્રીજા મનસુખભાઇ રમેશભાઈ વરાણીયા, રહે. મોરબી- ૨ ત્રાજપર ગામ શંકરવાળી શેરી વાળાએ અજાણ્યા પાણીનો ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ટેન્કર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text