કચ્છના નાના રણમાં ટીકર નજીક પદયાત્રિકો ફસાયા : સરપંચ સહિતના આગેવાનો રેસ્ક્યુ હાથ ધર્યું

- text


કચ્છના વાગડથી ચોટીલા પગપાળા જવા આડેસરથી હળવદ તરફ આવતા ટિકરના રણમાં ફસાયા

હળવદ : કચ્છના વાગડથી પગપાળા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જતા ૧૦ જેટલા પુરૂષ, મહિલા શ્રદ્ધાળુઓ કચ્છના નાના રણમાં પાણી ભરાઈ જવાથી કાદવમાં ખૂંપી જતા સવારથી ફસાયેલા આ પદયાત્રિકોને રેસ્ક્યુ કરવા માટે ટીકરના સરપંચ સહિતનો કાફલો નાના રણમાં દોડી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના વાગડથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જવા ૧૦ જેટલા પદયાત્રિકો આડેસર નજીકથી કચ્છના નાના રણમાંથી નીકળતો શોર્ટ કટ્ટ રસ્તો અપનાવી હળવદ તરફ આવતા હતા ત્યારે ટીકર નજીક કાદવમાં ફસાઈ ગયા છે, સવારથી આ પદયાત્રિકો અહીં ફસાયા હોવાની જાણ ટિકરના સરપંચને થતા તેઓએ મામલતદાર હળવદનો સંપર્ક કરી ફસાયેલા પદયાત્રિકોને બચાવવા મદદ માંગી હતી.

- text

જો કે હળવદ મામલતદાર હાઇકોર્ટમાં મુદતે હોવાનું જણાવતા ટીકરના સરપંચ વિજયભાઈ પટેલે જાત મહેનતે ગ્રામજનોની સહાયતા લઈ ટીકર રણમાંથી પદયાત્રિકોને સલામત બહાર નીકળવા પ્રયાસો શરૂ કર્યા છે.

વધુમાં વિપરીત ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા કચ્છના નાના રણમાં ચોમાસાના પાણી ભરાઈ જતા હાલમાં કાદવ કીચડ સર્જાયું છે અને પદયાત્રિકો સવારથી ભૂખ્યા તરસ્યા હોવાનું માલુમ પડતા તમામ માટે જમવાનું તથા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ટિકરના સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોમાં ૮ પુરુષો અને ૨ મહિલાનો સમાવેશ થાય છે અને તમામને સહી સલામત બચાવવા પ્રયાસ ચાલુ છે.

- text