મોરબીમાં પતંજલિ યોગ સમિતિ આયોજિત ત્રી દિવસીય યોગ શિબિર સંપન્ન

- text


શિબિરમાં હરિદ્વારના સાધ્વી દેવઅદિતિજીના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકોએ યોગ શીખ્યા

મોરબી : મોરબીમાં પતંજલિ યોગ સમિતિ આયોજિત ત્રી દિવસીય યોગ શિબિર સફળતાથી સંપન્ન થઈ છે.જેમાં ત્રણેય દિવસ દરમિયાન હરિદ્વારના સાધ્વી દેવઅદિતિજીના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકોએ યોગ શીખ્યા હતા સાથે આયુર્વેદિક ઉપચારની માહિતી પણ મેળવી હતી.

યોગગુરૂ રામદેવજી મહારાજની પ્રેરણાથી પતંજલિ યોગ પીઠ હરિદ્વાર થી પધારેલા સાધ્વી દેવઅદિતિજી દ્વારા પોતાની આગવી શૈલીમાં મોટાપા નિવારણ તથા તમામ રોગોના નિવારણ માટે મોરબીમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને યોગ પ્રાણાયામ સાથે આયુર્વેદિક ઉપચારની જાણકારી મેળવી હતી.

- text

આ શિબિરને સફળ બનાવવા માટે સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, વિનોદભાઈ શર્મા, જિલ્લા પ્રભારી રણછોડભાઈ જીવાણી, મહિલા પ્રભારી ભારતીબેન રંગપરિયા, યુવા પ્રભારી સંજય રાજપરા, કિશાન પ્રભારી ભુદરભાઈ જગોદણા, શામજીભાઈ કાનાણી, યોગગુરૂ નરશીભાઈ અંદરપા તેમજ કાનજીભાઈ પંચાસરા, હરજીવનભાઈ છત્રોલા, હસુભાઈ કારોલિયા, મીનાબેન માકડીયા, પિનલબેન ચારોલાએ જહેમત ઉઠાવી હતી.

 

- text