મોરબીની એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીની એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

- text

મોરબીની જાણીતી એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ ક્લોલાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જાણીતા સમાજ સેવક, કેળવણીકાર એવા પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આચાર્ય ભાવેશભાઈ ચાડમીયા અને તમામ ફેકલ્ટીએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

- text