વાંકાનેર પાલિકા દ્વારા ગાંધી જયંતિ અવસરે સંગીત સંધ્યા યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેરમાં પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ગાંધીજીના વિચારોને ધ્યાનમાં રાખી સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા એજ સેવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને નગરપાલિકા દ્વારા સઘન જનજાગૃતિ સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી અને સાંજે માર્કેટ ચોક ખાતે સંગીત સંધ્યા યોજાઈ હતી.

પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી અન્વયે વાંકાનેર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમા હાજર મહાનુભાવો અને પ્રજાએ સ્વચ્છતાના સોગંદ ખાય આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ગીરીશ સરૈયા,ના.મામલતદાર બી.એસ.પટેલ, નગરપાલિકા પ્રમુખ રમેશ વોરા, નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દુભા જાડેજા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ, શહેર ભાજપ મહામંત્રી મેરૂભાઈ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.

- text

આ કાર્યક્રમના આયોજનમાં નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર દીપક સિંહ ઝાલા, આંબલીયા ભાઈ, ધીરુભા તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી તેમજ આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ ઉપપ્રમુખ વિરાજ મહેતાએ કર્યું હતું.

 

- text