મોરબી : કંડલા બાયપાસ પર શનિવારથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

- text


માતાના મઢે પગપાળા જતા ભાવિકો માટે વિશેષ સુવિધાઓ ઉપ્લબ્ધ કરવામાં આવશે

મોરબી : મોરબી – કંડલા બાયપાસ પર શનિવારથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે મોટી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મોરબી- કંડલા બાયપાસ પર પાપાજી ફનવર્લ્ડની બાજુમાં આગામી તા.૨૯ને શનિવારથી માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે. આ કેમ્પમાં પદયાત્રીઓને રહેવા, જમવાની સુવિધા તેમજ ચા પાણી, નાસ્તો, આઈસ્ક્રીમ, નારિયેળ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. આ સાથે મેડિકલ સુવિધા પણ અપાશે.

- text

આ કેમ્પને સફળ બનાવવા સચિન કાનાબારની આગેવાનીમાં માહિતસિંહ, વીરલ મહેતા, પ્રણવ ત્રિવેદી, ક્રિપાલ પટેલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ૨૯ના રોજ માટેલ ખોડિયાર માના મંદિરના મહંત ખોડીદાસબાપુના હસ્તે કેમ્પને ખુલ્લો મુકવામાં આવશે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને ધારાસભ્ય મેરજાને પણ ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text