મહેન્દ્રનગર પાસે કાલીદ્વિ નદીમાં ડૂબેલા યુવાનની લાશ મળી

- text


મોરબી ઉપરાંત રાજકોટના ફાયરબ્રિગેડની ટીમની પણ મદદ લેવાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી કાલીદ્વિ નદીમાં ગઈ કાલે યુવાન ડૂબ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને યુવાનની શોધખોળ આદરી છે.જેમાં રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. ત્યારે આજે સવારે નદીમાં ડૂબી ગયેલા યુવાન વિપુલ ધનજીભાઈ આદ્રોજાની લાશ મળી આવી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રામધન આશ્રમ નજીકથી પસાર થતી કાલીદ્વિ નદીમાં ગઈકાલે સાંજે યુવાન ડૂબ્યો હોવાનો બનાવ બન્યો હતો.. આ મામલે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. તરવૈયાઓ દ્વારા નદીમાં યુવાનની શોધખોળ ચલાવવામાં આવી હતી. મોરબી ઉપરાંત રાજકોટના ફાયરબ્રિગેડની ટીમની પણ મદદ લેવાઈ હતી. તેવામાં આજે સવારે નદીમાં ડૂબી ગયેલા મૂળ લૂંટાવદર અને હાલ મહેન્દ્રનગરમાં રહેતા 20 વર્ષના યુવાન વિપુલ ધનજીભાઈ આદ્રોજાની લાશ મળી આવી હતી. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text