- text
શિબિરમાં હરિદ્વારના સાધ્વી દેવઅદિતિજી દ્વારા યોગ શીખવશે
મોરબી : મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧ ઓક્ટોબરથી ત્રી દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરિદ્વારના સાધ્વી દેવઅદિતિજી દ્વારા યોગ શીખવવામાં આવશે.
યોગગુરૂ રામદેવજી મહારાજની પ્રેરણાથી પતંજલિ યોગ પીઠ હરિદ્વાર થી પધારેલા સાધ્વી દેવઅદિતિજી દ્વારા પોતાની આગવી શૈલીમાં મોટાપા નિવારણ તથા તમામ રોગોના નિવારણ માટે મોરબીમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિર રવાપર કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્ટી પ્લોટ ખાતે તા.૧ થી ૩ ઓક્ટોબર સાંજે ૫ થી ૬:૩૦ દરમિયાન યોજાશે.
- text
આ શિબિરમાં આવનારે આશન, નેપકીન તથા પાણીની બોટલ સાથે રાખવાની રહેશે. આ યોગ શિબિરમાં જોડાવવા માટે પતંજલિ યોગ સમિતિ- મોરબી દ્વારા ભાઈઓ તથા બહેનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે રણછોડભાઈ જીવાણી મો.નં. ૯૯૦૯૨ ૦૨૮૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
- text