માલિયાના ખેડૂતો સિંચાઈ અને પાકવિમા મુદ્દે ગાંધીનગર કૂચ કરશે

- text


આવતા અઠવાડિયે ખેડૂતો દ્વારા ગાંધીનગરમાં આંદોલન

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની વર્ષો જૂની માંગ પૂર્ણ ન થવાની સાથે પાકવિમામા પણ અન્યાય થતા આવતા અઠવાડિયે ખેડૂતો દ્વારા ગાંધીનગર કૂચ કરવા એલાન કર્યું છે.

ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ દ્વારા જાહેર કરાયા મુજબ આવતા અઠવાડિયે માળિયા મિયાણાના ખેડૂતો દ્વારા સિંચાઇના પાણી તથા પાક વીમો અને માળિયા મિયાણા શહેર તથા તાલુકા ને અછતગ્રસ્ત જાહેર કરવાની મુખ્ય માંગ સાથે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી અને એગ્રીકલચર વિભાગ ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવશે.

- text

ખેડૂતોના પ્રશ્ને લડત આપવા ગાંધીનગર ખાતે ઉમટી પડવા માળીયા મિયાણા તાલુકાના કિસાનોને ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે વધુ વિગતો માટે મો.૯૯૭૯૯૨૨૮૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text