- text
સિદ્ધિ વિનાયક ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં દુંદાળાદેવની નગરયાત્રા બાદ વિસર્જન કરાયું
ટંકારા : ટંકારામાં સિદ્ધિ વિનાયક ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં આજે નવમાં દિવસે ભગવાન ગણેશજીનું ભાવભેર વાજતે ગાજતે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ટંકારામાં સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્રારા છેલ્લા ૨ વર્ષથી ગણપતિ મહોત્સવનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે ૯માં દિવસે દાદાની વાજતે ગાજતે ભવ્ય યાત્રા નગરમાં નીકળી હતી. આ દરમીયાન ઠેર ઠેર દાદાની મહા આરતિ કરવામાં આવી હતી. બાદમાં વિઘ્નહર્તાની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વીસર્જન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text