અંબાજીના મેળામાં ચાલતા ભંડારામાં સેવા આપતા મોરબી ટંકારાના ભાવિકો

- text


અંબાજી અન્નક્ષેત્ર ચેરી. ટ્રસ્ટ દ્વારા ભંડારાનો પ્રારંભ

મોરબી : અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૧૭ મો ભવ્ય ભંડારો ગુજરાત મ્યુન્સીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની હાજરીમા આજે ખુલ્લો મુકાયો છે. ભાદરવી પુનમ સુધી અહીં ભક્તો માટે ભોજન દવા અને એક્યુપ્રેશરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા ને લઈ એક અઠવાડિયા પહેલા છેલ્લા ૧૭ વર્ષથી ભવ્ય ભંડારાનુ આયોજન અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ કરે છે.જેમા રાજકોટ અને મોરબીના માઈ ભક્તો દ્વારા સુદર વ્યવસ્થા કરવામાં આવે છે દયા કલ્યાણના નામ સાથે સંસ્થાના યોગેશ ભટ્ટ, જયેશ ભાલારા, જગદીશ વાગડિયા, મુકેશભાઈ વાગડિયા, દિપક પાટડીયા, મહેશ રાણપરાસહીતના મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો અહી ખડે પગે રહી સેવા આપે છે.

- text