ટંકારામાં છેલ્લા ૫ માસથી ચાલતા વેદ પ્રચાર અભિયાનની ૭ ઓક્ટોબરે પુર્ણાહુતી

- text


ટંકારા : ટંકારામાં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વેદ પ્રચાર અભિયાનની આગામી ૭ ઓક્ટોબરના રોજ પુર્ણાહુતી થનાર છે. આ પ્રસંગે આર્યસમાજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- text

આગામી તા. ૭ ઓક્ટોબરને રવિવારના રોજ વેદ પ્રચાર અભિયાન ની પૂર્ણાહૂતિ થનાર છે. ટંકારામાં સતત પાંચ મહિનાથી વેદ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ટંકારાની અલગ અલગ સોસાયટીમાં તથા અલગ અલગ વિસ્તારમાં દરરોજના બે પરિવારમાં આ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં હસમુખભાઈ પરમાર, આનંદભાઈ અગોલા, યોગેશ ભાઈ કારાવડિયા તથા પંડિતજી ખૂબ મહેનત કરી રહ્યા છે. સાચો વેદ ધર્મ, સાચી જીવન પદ્ધતિઓ , આપણી પ્રાચિન જીવન શૈલી કેવી હતી, હાલ કેવી છે તેના વિશે રસપ્રદ રીતે સમજૂતિ આપવામાં આવે છે. ઉપરાંત આ અભિયાનની પૂર્ણાહૂતિમાં રોઝડ આશ્રમ થી લગભગ 40 મહેમાનો , વિદ્વાનો આવી રહ્યા છે.

- text