ટંકારાના હડમતીયામાં મૃતકના પત્નીને ગ્રાહક સુરક્ષાના ચુકાદા બાદ વ્યાજ સાથે વિમો ચૂકવાયો

- text


ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારોની હાજરીમાં રૂ. ૫,૨૧,૭૯૫નો ચેક અર્પણ કરાયો

ટંકારા : ટંકારાના હડમતીયા ગામના નિવૃત એરિગેશન કર્મચારીનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેમના વિમાનો કેસ ગ્રાહક સુરક્ષામાં ચાલી ગયા બાદ વ્યાજ સાથે વીમો ચૂકવવાનો ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ આપવામાં આવ્યો હતો. જે મુજબ વીમા કંપનીએ મૃતકના પત્નીને આજે ચેક અર્પણ કર્યો હતો.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના નિવૃત કર્મચારી અજાણા ગોવિંદભાઈ પેથાભાઈ નું મોરબી રાજકોટ હાઈવે પર માર્ગ અકસ્માતમા મૃત્યું પામતા તેમનો કેસ મોરબી જીલ્લા તેમજ ટંકારા ગ્રાહક સુરક્ષામા દાખલ થયેલ હતો. જે કેસના કામમાં રાજકોટ ફોરમ દ્વારા ચુકાદો આવેલ. તે ચુકાદા મુજબની વળતરની રકમ વ્યાજ સહિત ઈન્સ્યોરન્સ કંપની દ્વારા રૂ. ૫,૨૧,૭૯૫નો ચેક અજાણા ગોવિંદભાઈ પેથાભાઈના વારસદાર ધર્મપત્ની જયોત્સનાબેન ગોવિંદભાઈ અજાણાને અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

આ તકે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની સુચનાથી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, સામાજિક કાર્યકર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષાના સદસ્ય રમેશભાઈ ખાખરીયા હાજર રહયા હતા.

- text