મોરબીમાં આવતીકાલે જૈન સમાજની રથયાત્રા

- text


મોરબી : જૈન સમાજ મોરબી દ્વારા દર વર્ષે યોજાતી રથ યાત્રાનો વરઘોડો આવતી કાલે તારીખ ૧૫ ને શનિવારે સવારે ૮:૦૦ કલાકથી દરબાર ગઢથી શરૂ કરી જુના બસ સ્ટેશન થઈ પ્લોટ દેરાસર ખાતે જશે.

રથયાત્રામાં પરમપુજ્ય સાધ્વીજી વિનયરત્નાશ્રીજી મહારાજની શુભ નીશ્રામાં સંઘપ્રમુખ નવિનભાઈ મહેતા ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ ભાઈબહેનો બાળકો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે.

- text

આ રથયાત્રામાં “ધર્મમંગલ પરિવાર” ભાવેશભાઈ દોશી (જૈનસંગીતકાર) એ પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લેનાર છે તથા આજ પરિવારમાં યોગેશભાઈ લોદરીયાએ પ્રભુજીને લઈને રથમાં બેસવાનું દીપકભાઈ દોશીએ પ્રભુજીના સારથી બનવાનું તથા રોનકભાઈ ગાંધીએ પ્રભુજીની જમણી બાજુમાં ચામરથી જુહારવાનો લાભ લીધેલ છે.રથયાત્રા બાદ બપોરે ૧૨:૦૦ કલાકે વિશા શ્રીમાળી વણીક વાડી, નવાડેલા રોડ, ખાતે પ્રસાદ નું આયોજન કરાયું છે.

- text