નવયુગ ગ્રુપ દ્વારા મોરબીમાં કેરિયર એકેડમી ઓફીસનો પ્રારંભ

- text


વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના ઉકેલ માટે મોરબીમાં લાભ પંચમીથી મોરબીમાં શરૂ થશે નવયુગ એકેડમી

મોરબી : મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ ગૃપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના અવસરે મોરબીના વિદ્યાર્થીઓ માટે કેરિયર એકેડમી ઓફીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જો કે નવયુગ ગ્રુપ દ્વારા આગામી લાભપંચમીથી એકેડમી ફૂલ ફ્લેન્જમાં શરૂ કરી વિદ્યાર્થીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાશે.

નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી. કાંજીયા એ જણાવ્યું હતું કે મોરબીમાં શૈક્ષણિક સંસ્થાઓ તો અનેક છે પરંતું કારકિર્દી ઘડતારથી લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી અને ઓપન સ્કૂલ માટે કોઈ જ સુવિધા નથી એ સંજોગોમાં નવયુગ ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરી ખાસ એકેડમી શરૂ કરવામાં આવનાર છે જેની સતાવાર ઓફિસ આજથી ખુલ્લી મુકવામાં આવી છે.

- text

વધુમાં નવયુગ નવયુગ કિડ્સ, નવયુગ સ્કિલ અને નવયુગ કેરિયર એકેડમીમાં કિડ્સથી લઈ મોટા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શકનાર વિદ્યાર્થીઓ માટે ઓપન સ્કૂલ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમ ટ્યુશન કલાસીસ, સ્પર્ધાતમ પરીક્ષાઓની તૈયારી, સી.એ. સી.એસ.ની તૈયારીઓ, એકાઉંટિંગ, સીરામીક ડિઝાઇનિંગ, એક્સપોર્ટ – ઇમ્પોર્ટસ સહિતના વિવિધ પ્રોફેશનલ કોર્ષ પણ કરવવામાં આવશે.

આ માટે શૈક્ષણિક ક્ષેત્રે મોરબીના નામાંકિત નવયુગ ગ્રુપ દ્વારા રવાપર રોડ સ્થિત ઓમ શાંતિ કોમ્પ્લેક્સ ખાતે આજથી નવયુગ કિડ્સ, નવયુગ સ્કિલ અને નવયુગ કેરિયર એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મિત્રો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

- text