અંતે મોરબી પાલિકા જાગી : ટ્રાફિક સમસ્યા નિવારવા રસ્તા પરના દબાણો દૂર કરવા ધોકો પછાડતા ચીફ ઓફિસર

- text


કેનાલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ પર સૂચિત અને અન્ય રસ્તા પરના દબાણકારોને દસ દિવસમાં દબાણ હટાવી લેવા તાકીદ

મોરબી : વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા મોરબીના લોકોને અંતે પહોળા રસ્તા મળે તેવા સ્પષ્ટ સંકેતો મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આપી કેનાલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં દબાણ કરનારા આસમીઓને દસ દિવસની મહેતલ આપી દબાણ હટાવવાનું રણશીંગુ ફૂંકી દીધું છે.જોકે પાલિકા તંત્ર દ્વારા અગાવ પણ ઘણી વખત આવી જાહેરાતો કરીને પછી પાણીમાં બેસી ગયું છે. ત્યારે આ વખતે પાલિકાના ચીફ ઓફિસર કહ્યું કરે છે નહિ તે જોવું રહ્યું.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી શહેર હદ વિસ્તારમાં આવેલ લીલાપર રોડ થી રવાપર રોડ ચોકડી તથા મેઈન કેનાલ થી શનાળા રોડ બાઈપાસ થઈને વાવડી ગામ સુધી જતી મચ્છુ-૨ બંધની કેનાલની બંને બાજુ સૂચિત ૧૫ મીટર રોડ માં દબાણ થયેલ છે. આવા દબાણો મોટા ભાગે ગામ વજેપર માધાપરના સર્વે નં: ૧૦૮૯, ૧૦૯૦, ૧૦૯૧, ૧૦૯૨, ૧૦૯૩, ૧૦૯૪, ૧૧૦૧, ૧૧૦૦, ૧૦૯૯. ૧૦૯૮, ૧૧૦૮, ૧૧૦૯, ૧૧૧૦ ,૧૦૫૫ ,૧૦૫૪, ૧૦૫૬, ૧૦૫૨, ૧૦૩૭, ૧૦૩૨, ૧૦૩૫, ૧૦૩૭, ૧૦૩૬, ૧૦૩૮, ૧૦૨૨, ૧૦૨૧, ૧૦૨૦, ૧૦૧૯, ૧૦૧૮/૩, ૧૦૧૪, ૧૦૧૩/૨, ૧૦૧૩/૧, ૯૯૪, ૯૯૩, ૮૮૮, ૮૯૨, ૯૯૧, ૮૯૦, ૧૧૫૯, ૧૧૫૬, ૧૧૫૫, ૧૧૫૪, ૧૧૫૩, ૧૧૮૧/૨. ૧૧૮૨, ૧૧૮૪/૩, ૮૮૯, ૮૯૬, ૮૯૭, ૮૮૫, ૮૯૪, ૮૯૨, ૮૯૧, ૮૮૮, ૮૮૭, ૮૮૫, ૮૮૪ તથા રવાપરના સર્વે નંબર ૧૮૩, ૧૮૧ માં હોવાનુ ધ્યાનમાં આવેલ છે.

વધુમાં ખેતીની જમીન તથા બિનખેતી થયેલ જમીન માંથી સૂચિત ૧૫ મીટર રોડ મોરબી નગરપાલિકાને આપવાનો રહેશે તથા રોડનું ડેવલોપમેન્ટ નગરપાલિકા કરશે. ભક્તિ નગર સર્કલ થી ઉમિયા સર્કલ થી સિવિલ હોસ્પિટલ ચોક સુધી સુચિત ૩૦ મીટર રોડ હોય તે રોડ ઉપરના ૩૦ મીટર સિવાયની મિલકત હોય તેને મોરબી નગરપાલિકા પાસે વેરીફીકેસન કરાવી અગામી તા.૦૨-ઓકટોબર ૨૦૧૮ સુધીમાં દબાણ દુર કરવા સત્વરે નોંધ લેવી તથા જેમાં બિનખેતી થયેલ જમીન હોય તેના આધાર અત્રેની કચેરીએ આપવા જાહેર સૂચના આપવામાં આવી છે.

- text

ઉપરાંત નવા બસ સ્ટેન્ડ સામે શનાળા રોડથી રવાપર રોડને જોડતો રોડ પહોળો કરવાનો હોય, જેથી બિનખેતીના નકશા મોરબી નગરપાલિકાને લેખિતમાં રજુ કરવા જેથી રોડની બંને બાજુ કરેલ દબાણ દુર કરી શકાય.

તેમજ સિવિલ હોસ્પિટલ ચોકથી દાઉદી પ્લોટના છેડા સુધી સૂચિત ૧૮ મીટર તથા દાઉદી પ્લોટના છેડાથી અવની ચોકડી સુધી સૂચિત ૨૪ મીટર રસ્તો પહોળો હોય, જેથી તે રસ્તા ઉપર થઇ આવેલ દબાણ દુર કરવા તાકીદ કરવામાં આવી છે.

અંતમાં પાલિકા દ્વારા આવા દબાણ કરનારાઓને જાહેર વિજ્ઞપ્તિથી જાણ કરવામાં આવી છે કે, સૂચિત દબાણ ગેરકાયદેસર હોઈ દિવસ ૧૦ માં ખુલ્લું કરીને જાણ કરવા જણાવાયું છે, મુદત વિત્યે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય જમીન દબાણ ખુલ્લું કરવામાં આવશે. સુચિત દબાણની કાર્યવાહી સામે કોઈપણ આસામીઓને વાંધો તકરાર હોઇ તો મોરબીનગરપાલિકાને લેખિતમાં જાણ કરવા તમામને સૂચના આપવામાં આવી છે.

આમ મોરબી નગર પાલિકાએ લાંબા સમય બાદ ટ્રાફિક સમસ્યા હળવી કરવા રસ્તા પરના દબાણો દૂર કરવાનો હુંકાર કર્યો છે. જોકે સાથે એ પણ નોંધવું પડે કે અત્યાર સુધીમાં આવી અનેક વખત જાહેરાતો પાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ પર રાજકીય દબાણ હાવી થઇ જાય છે અને કયારેય કામગીરી થઇ નથી ત્યારે આ વખતે પાલિકાના ચીફ ઓફિસર કહ્યું કરે છે નહિ તે જોવું રહ્યું.

- text