ટંકારામાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળશે

- text


ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ

ટંકારા : ટંકારામાં આગામી સોમવારના રોજ જન્માષ્ટમીના પાવન પર્વની ધર્મોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભવ્ય શૉભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે. ઉપરાંત અનેક મંદિરોમાં વિશેષ પંડાલ પણ ઉભા કરાયા છે.

ટંકારામા સોમવારે સવારે દેરીનાકા રોડ થી શોભાયાત્રા નીકળી રાજબાઈ ચોક લક્ષ્મી નારાયણ મંદિર લો વાસ ઉગમણાનાકા ત્રણ હાટડી મોચી બજાર મેઈન રોડ સહિતના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરશે. સમગ્ર આયોજન દેરીનાકા માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાશે. ઉપરાંત ગામધણી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે રાત્રે ૧૨ના ટકોરે કુષ્ણ જન્મના વધામણા કરવામાં આવશે.

- text

ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવાનો ટંકારાવાસીઓમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઠેર ઠેર જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. અનેક મંદિરોમાં ખાસ પંડાલો ઉભા કરવામાં આવ્યા છે. આ પંડાલોમા રાખવામાં આવેલ પ્રતિકૃતિઓ ભાવિકોમાં આકર્ષણ જમાવશે.

- text