- text
ટંકારા : ટંકારાના નસીતપર ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાસ આગેવાનો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.
- text
હાલ પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ ઉપવાસ આંદોલનના સમર્થનમાં ઠેર ઠેર પાસ અગ્રણીઓ અનેકવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. ત્યારે ટંકારાના નસીતપર ગામે પણ પાસ આગેવાનો દ્વારા હાર્દિક પટેલને સમર્થન આપવા માટે રામધૂન બોલાવવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં પાટીદાર આગેવાનો જોડાયા હતા.
- text