- text
મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર આયોજીત સંસ્કૃત સ્પર્ધામાં યુવરાજ મહિજડિયાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
સાર્થક વિદ્યામંદિર ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સંસ્કૃત સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં યુવરાજ કિશોરભાઈ મહોજડિયાએ પ્રથમ ક્રમ હાંસલ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ક્રમ મેળવવા બદલ યુવરાજને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
- text
- text