વાંકાનેરમાં યુવરાજ કેશરીદેવસિંહની અધ્યક્ષતામાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિની બેઠક મળી

- text


વાંકાનેર : વાંકાનેર જન્માષ્ટમી ઉત્સવ સમિતિની બેઠક યુવરાજ કેસરીદેવસિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ગાયત્રી શક્તિપીઠના અશ્વિન સાહેબ, રૂગનાથજી મંદિરના મહંતશ્રી, નાગાબાવા મંદિરના મહંતશ્રી, ફળેશ્વર મંદિરના મહંતશ્રી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, શિવસેના પ્રમુખ, ગૌરક્ષક દળ, ક્ષત્રિય સમાજ પ્રમુખ, આર. એસ. એસ. ના દીપકભાઈ, સુરેશભાઇ પ્રજાપતિ, અમરસીભાઈ મઢવી તેમજ વાંકાનેરની ધર્મપ્રેમી જનતાની હાજરીમાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઇ હતી.

- text

જેમાં ગત વર્ષે આકર્ષક ફલોટ બનાવેલ તેમને ઇનામ વિતરણ કરવામાં આવેલ અને આગામી જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવા અને શોભાયાત્રામાં વિશાળ જનસમુદાય સાથે આધ્યાત્મિક વાતાવરણ માં ઉજવવામાં આવે તેવું આયોજન કરવામાં આવેલ.વાંકાનેર જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં અચૂક હાજરી આપવા માટે નિમંત્રણ આપવામાં આવેલ છે.

- text