પત્ની સાથે કઢંગી હાલતમાં જોઈ જતા ૧૩ વર્ષના છોકરાની પતિએ હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી’તી

- text


વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં વાડીના કુવામાંથી મળેલી 13 વર્ષના કિશોરની લાશ મળવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

મોરબી : ઈન્ટરનેટ, ટીવી અને ફિલ્મોની આડઅસર હવે ઉંમરના ભેદભાવને પણ ભુલાવી રહી છે ત્યારે સમાજના અધઃપતનના એક ચોંકાવનારા કિસ્સામાં વાંકાનેરમાં ખેતમજૂરની પત્ની સાથે આડો સબંધ ધરાવતા ૧૩ વર્ષના છોકરાને કઢંગી હાલતમાં જોઈ ગયેલા પરણીતાંના પતિએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી કુંવામાં ફેંકી દેતા આ ચોકવનારી ઘટનાથી વાંકાનેર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં જલાલભાઈ માથકીયાની વાડીમાં આવેલ કુવામાંથી એક ૧૩ વર્ષના બાળકની લાશ મળી આવી હતી. આ ઘટના ચોંકવનારો ખુલાસો થયી છે જેમાં પત્ની સાથે કઢંગી હાલતમાં જોઈ જતા ૧૩ વર્ષના છોકરાની પતિએ હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધીની વિગત સામે આવી છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરના છોકરા સાથે પરિણીતાના આડા સબંધના આ ચોકવનારી ઘટનાની વિગતો જોઈએ તો વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના વતની કરમસિંહ નાનજીભાઈ કિકડીયા ઉ.૪૩ રે.જાંબુખેડા, તાલુકો. ઉદયગઢ, જિલ્લો. અલીરાજપુર, મધ્યપ્રદેશવાળા પંચાસિયા ગામની સીમમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓમાં બબલુ ઉ.૧૩ નામનો પુત્ર ૨૦ તારીખે રાત્રીના ગાયબ થઈ જતા વતનમાં ગયેલા કરમસિંહને તેમના સંબંધી વૈરાંગ કબુભાઈ ભેંડાનો ફોન આવ્યો હતો કે તમારો પુત્ર બબલુ ગાયબ થઈ ગયો છે.

વધુમાં બબલુ અને વૈરાંગ બનાવની રાત્રીના પંચાસિયા ગામની સીમમાં જ રહેતા ઠાકોર ભૂરાસિંગ દેહડિયાના વાડીએ જમવા ગયા હતા અને જમીને રાત્રીના ભૂરો,ભૂરાની પત્ની સવિતા, વૈરાંગ અને બબલુ ચારેય ગંજીપાના રમતા હતા અને બાદમાં રાત્રિના અગિયારેક વાગ્યે વૈરાંગ ભૂરાસિંગની વાડીની અગાસીએ જ્યારે બબલુ ભૂરાસિંગ અને તેની પત્ની સાથે વાડીની ઓરડીમાં સુતા હતા.

- text

બાદમાં સવારે વૈરાંગ જાગતા તેને બબલુ ક્યાં તેમ પૂછતાં પતિ અને પત્નીએ બબલુ જતો રહ્યો હોવાનું જણાવતા વૈરાંગ પણ જતો રહ્યો હતો જો, કે પોતાની વાડીએ બબલુ ન પહોંચતા વૈરાંગે બબલુના પિતાને જાણ કરી તાત્કાલિક પંચાસિયા બોલાવી તપાસ કરી હતી.

તેવામાં વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં જલાલભાઈ માથકીયાની વાડીમાં આવેલ કુવામાંથી બબલુની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા સમાજ માટે લાલબત્તી સમાન ચોંકવનારી હકીકત સામે આવી હતી. જેમાં ઠાકોર ભૂરાસિંગ દેહડિયાના વાડીએ બબલુ જમવા ગયો ત્યાં સુઈ જગયાની રાત્રીના ઠાકોર ભૂરાસિંગ દેહડિયાએ પોતાની પત્ની સવિતા અને 13 વર્ષના બબલુને શરીર સંબંધ બાંધતા બંનેને કઢંગી હાલતમાં જોઈ જતા બન્ને ને ખૂબ માર મારી બાદમાં સવિતાને રૂમમાં પુરી બબલુને તિક્ષણ હથિયારના ઘા મારી તેની હત્યા નિપજાવી તેની લાશ કુવામાં ફેકી દીધી હતી.

જો કે બનાવની રાત્રીની સમગ્ર ઘટના ભૂરાસિંગની પત્ની સવિતા જાણતી હોવા છતાં તેણે વૈરાંગ કે બબલુના પિતાને આ બાબતની જાણ કરી ન હતી પરંતુ ફરી પાછા કરમસિંહ અને વૈરાંગ જતા સવિતાએ જ પતિ ભૂરાસિંગનો ભાંડો ફોળી નાખતા સમગ્ર બનાવનો ભેદે ઉકેલાઈ ગયો હતો.

આ ચકાવનારી ઘટના મામલે મૃતક બબલુના પિતા કરમસિંહની ફરિયાદના આધારે પોલીસે ઠાકોર ભૂરાસિંગ દેહડિયા સામે હત્યાનો ગુન્હો નોંધી ઘટના બાદ ફરાર થઇ ગયેલા આરોપી ઠાકોર ભૂરાસિંગ દેહડિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસનો દૌર વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર.ગઢવીએ સાંભળ્યો છે.

- text