ટંકારા : ગૌ રક્ષકની હત્યાના વિરોધમાં માલધારી અને હિન્દૂ સમાજનું મામલતદારને આવેદન

- text


ગૌરક્ષકના પરિવારજનોને સહાય ચુકવવાની માંગ

ટંકારા : કડીમાં ગૌ રક્ષકની હત્યાની ઘટનાના વિરોધમાં ટંકારા તાલુકાના માલધારી અને હિન્દૂ સમાજે મામલતદારને આવેદન પાઠવીને આરોપીઓને સખત સજા આપી ગૌરક્ષકના પરિવારને વળતર ચુકવવાની માંગ ઉઠાવી છે.

આવેદનમાં જણાવાયું હતુ કે તાજેતરમાં કડી તાલુકાના ખેરપુર ગામે ગૌ રક્ષક રાજુભાઇ રબારીની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને માલધારી અને હિન્દુ સમાજ વખોડી કાઢે છે. સ્વ. રાજુભાઇને ઝડપી ન્યાય મળે એવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text

વધુમાં જણાવાયું કે સ્વર્ગસ્થના પરિવારને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સખત સજા આપવામાં આવે તેમજ ગૌ રક્ષકો પર થતા અત્યાચારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text