મોરબીના રવાપર નજીક વિજશોકથી શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના રવાપર ગામ નજીક એપાર્ટમેન્ટના બાંધકામની દેખરેખ રાખતા આધેડવયના શ્રમિકને વિજશોક લાગતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે એ ડિવિઝને નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના રવાપર ગામ પાસે આવેલી ક્રિષ્ના સ્કુલ પાછળના વિસ્તારમાં એપાર્ટમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ કામકાજ પર દેખરેખ રાખતા મહેન્દ્રસીંગ પ્રતાપસીંગ નાયક ઉ.વ.૫૫ નામના આદિવાસી આધેડને વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text