સજનપરની બાપા સીતારામ ગૌશાળા દ્વારા જ્ડેશ્વર મેળામા પાણીનું પરબ ઉભું કરાયું

- text


ટંકારા ના ધારાસભ્ય એ પાણીના પરબની મુલાકાત લઈને આ સેવાકાર્યને બિરદાવ્યું

ટંકારા : બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ સજનપર દ્વારા જ્ડેશ્વર મહાદેવના સાનિધ્યમા પવિત્ર શ્રાવણ માસમા ભરાતા લોકમેળામા છેલ્લા ૧૫ વર્ષથી વિના મૂલ્યે પાણીના પરબનુ આયોજન નિઃ સ્વાર્થ ભાવથી કરવામા આવે છે. મેળામા આવતા મોટા ભાગના લોકો પરબે પાણી પીવા તેમજ પ્રસાદી લેવા પધારે છે.

- text

ટંકારા પડધરીના ધારાસભ્ય આ ખાસ પરબની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા અને આ કામગીરી ને બિરદાવી હતી. બાપા સીતારામ ગૌશાળા દ્વારા ભાઈબીજના દિવસે ગાયો ના ઘાસ ચારા માટે નાટક કરવામા આવે છે તેમજ લગ્ન પ્રસંગ મા ઢોલ ત્રાંસા વગાડવામા આવે છે

બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા બે દિવસ મેળામા પાણીનું પરબ ઉભું કરીને લોકોનજ પ્યાસ બુઝાવવાનું પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવે છે.

- text