મોરબી : લૂંટ વિથ મર્ડરના કેસમાં અઢી વર્ષ પૂર્વે ચિલ્ડ્રન હોમથી નાસી છુટેલો શખ્સ ઝડપાયો

- text


એલસીબીએ ત્રાજપર ચોકડીએથી શખ્સને પકડી પાડી બી ડિવિઝનને સોંપ્યો

મોરબી : રાજકોટના થોરાળા પોલીસ મથકના લૂંટ વિથ મુર્ડરના કેસમાં છેલ્લા અઢી વર્ષથી ચિલ્ડ્રન હોમ ખાતેથી નાસી છુટેલા શખ્સને એલસીબી દ્વારા ત્રાજપર ચોકડીએથી પકડી પાડવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોય શહેરના થોરાળા પોલીસ મથકના લૂંટ વિથ મર્ડર કેસના આરોપી અશ્વિન છગનભાઇ સારોલીયાની ઉંમર ૧૭ વર્ષ હોવાથી તેને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો. આ આરોપી અઢી વર્ષ પૂર્વે ચિલ્ડ્રન હોમમાંથી નાસી છૂટ્યો હતો.

બાદમાં મોરબીની ત્રાજપર ચોકડીએ એલસીબીએ એક શંકાસ્પદ શખ્સને પકડીને પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ શખ્સ લૂંટ વિથ મર્ડરના ગુનામાં અઢી વર્ષથી ચિલ્ડ્રન હોમમાંથી નાસી છૂટ્યો છે. હાલ આરોપીને બી ડિવિઝન પોલીસ મથકે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

- text