મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા ૩૦મીએ શુદ્ધ ઘીની મીઠાઈનું વ્યાજબી ભાવે વિતરણ

- text


વ્યાજબી ભાવે મોહનથાળ, કાજુ મૈસુબ અને ટોપરાપાક અપાશે : ૨૫મી સુધી ચાલશે બુકિંગ પ્રક્રિયા

મોરબી : મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા આગામી તા.૩૦ના રોજ વ્યાજબી ભાવે શુદ્ધ ઘીના મોહનથાળ, કાજુ મૈસુબ અને ટોપરાપાકનું વિતરણ કરવામાં આવનાર છે. જેની બુકિંગ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ બુકીંગ પ્રક્રિયા આગામી તા. ૨૫ સુધી ચાલશે.

મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૩૦ના રોજ બપોરે ૩ થી ૫ કલાકે લોહાણા મહાજન વાડી, સુધારા શેરી ખાતે વ્યાજબી ભાવે શુદ્ધ ઘીના મોહનથાળ, કાજુ મૈસુબ અને ટોપરાપાકનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ માટેની બુકિંગ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મીઠાઈના બુકિંગ માટે ઠા. દલીચંદ જેરામભાઈ- પરાબજાર, જયવિન પ્રોવિઝન સ્ટોર- ગ્રીનચોક અને ચંદન કિરાણા સ્ટોર્સ- સામાકાંઠે, કુળદેવી પાનની સામેની શેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. બુકિંગ પ્રક્રિયા તા. ૨૫ સુધી ચાલશે.

- text